Subscription

Service unto Humanity is Service unto God !

Inauguration of Atmiya Positive Care(Post Covid Center) - 2021, Atmiyadham-Vadodara

On Date: 07 May 2021
Activity: Covid-19

હરિધામ-સોખડા દ્વારા વડીલો માટેના-આત્મીય પોઝીટીવ કેર(પોસ્ટ કોવીડ સેન્ટર)નું ઉદ્ઘાટન પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી(કોઠારીસ્વામી)ના પવિત્ર સાંનિધ્યમાં તથા શ્રી વિજયભાઈ રૂપાણીજી, શ્રી સી. આર. પાટીલજી તથા શ્રીકાકુજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આત્મીયધામ, વડોદરા ખાતે કરવામાં આવ્યું.

આ શુભારંભ પ્રસંગે પૂ.ત્યાગવલ્લભસ્વામી, પૂ.ગુરુપ્રસાદ સ્વામી, પૂ.સંતોષજીવનસ્વામી, શ્રી ભાર્ગવ ભટ્ટ (પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ), શ્રી કેયુરભાઈ રોકડીયા (મેયરશ્રી, વડોદરા), ડૉ. વિજયભાઈ શાહ (અધ્યક્ષ, શહેર ભાજપ), શ્રી વિનોદભાઈ રાવ (આઈ.એ.એસ. ઓફિસર), શ્રી અશ્વિનભાઈ પટેલ (અધ્યક્ષ, જિલ્લા ભાજપ), શ્રી અલ્પેશભાઈ લિમ્બચીયા (નેતા, શાશકપક્ષ VMC), શ્રી મિનેષ પટેલ (યુનાઈટેડ વે, વડોદરા-એન.જી.ઓ.) તથા શ્રી જે. એમ. દવે (સેક્રેટરીશ્રી, YDS) ઉપસ્થિત રહ્યા હતા.

આત્મીય પોઝીટીવ કેર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે હરિધામ-સોખડા વતી પૂ.ત્યાગવલ્લભસ્વામીએ COVID-19 સામેની લડાઈમાં સરકારશ્રી દ્વારા થતા પ્રયાસોમાં સહભાગી બની, સાચી સમજણ કેળવી, સમયસર યોગ્ય સારવાર લેવાની સાથોસાથ નકારાત્મક સમાચારો ફેલાવવાથી દૂર રહેવા જનતાને અનુરોધ કર્યો.

સમાજની સાથે જીવવું, રહેવું એ ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીની રીતિનીતિ છે. COVID-19 ની વિકટ ઘડીમાં કોરોનાથી આઘાત પામેલાઓને સાંત્વના આપવા હરિધામ-સોખડા, આત્મીય પોઝીટીવ કેર સેન્ટર તેમજ અન્ય સેવાકાર્યો દ્વારા કટિબદ્ધ છે.    પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી (કોઠારીસ્વામી)

હરિધામ-સોખડાએ આત્મીય પોઝિટિવ કેર સેન્ટરની વ્યવસ્થા કરી ઉત્તમ કામગીરી કરી તે બદલ અઘ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીએ ધન્યવાદ આપ્યા અને COVID-19 ની મહામારીમાં સમાજને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મકતામાં લઇ જવાની સંસ્થાની નવી રાહને પણ તેમણે બિરદાવી.

COVID-19 બિમારી પછી દર્દીના આત્મવિશ્વાસનું પુનઃસ્થાપન થવું જરૂરી છે. શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ સમાજના નિર્માણ માટે હરિધામ-સોખડા દ્વારા આત્મીય પોઝિટિવ કેર સેન્ટરની પહેલને ગુજરાત સરકારશ્રી તરફથી ધન્યવાદ આપતા શ્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી.