Service unto Humanity is Service unto God !
યોગી ડિવાઇન સોસાયટી, હરિધામ સોખડા દ્વારા સંચાલિત આત્મીય વિદ્યાધામ, બાકરોલ ખાતે આણંદ જીલ્લા ભાજપા પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, સી.વી.એમ.ના ચેરમેનશ્રી ઈજનેર ભીખુભાઈ પટેલ, સેક્રેટરીશ્રી ડૉ. એસ. જી. પટેલ, શ્રી દિપકભાઈ સાથી તેમજ સામાજીક અગ્રણીઓ અને તબીબીક્ષેત્રે નિષ્ણાંત એવાં ડૉક્ટરો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત શૈક્ષણિક સંકુલોના આચાર્યો અને શિક્ષકગણ સાથે ૨૫૦૦ જેટલાં મુકતોએ વિદ્યાનગર સ્થાપના દિનની ભવ્ય ઉજવણીને માણી હતી. આ વિશેષ દિને જાણીતાં લેખક અને ગુજરાતી સાહિત્યકાર ડૉ. શરદ ઠાકરનું વ્યાખ્યાન હતું.